રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી: ધર્મયાત્રા નિકળી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જૈનોના વર્તમાન અંતિમ તિર્થકર ભગવંત શ્રી મહાવીર સ્વામીનું મંગળવારે ર6રપમું જન્મ કલ્યાણક ઉજવવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં સાધુ ભગવંતોની પાવન નિશ્રા અને શ્રાવક શ્રાવિકાઓની હાજરી વચ્ચે સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર સંઘ સાથે ભગવંત શ્રી મહાવીર સ્વામીની ધર્મયાત્રા નિકળી હતી. જેમાં ભગવાન મહાવીર સ્વામી શુઘ્ધ ચાંદીના રથમાં બીરાજયા હતા. ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજ જોડાયો હતો. તેમજ ઠેર-ઠેર ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેકવિધ સંદેશાઓ અને જીવંત પાત્રો સાથેના ઉપદેશ આપતા ર4 તિર્થકરોના ર4 ફલોટસે નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. (તસ્વીર: પ્રવિણભાઇ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ