ભારતીય વિજ્ઞાન અને ઉર્જા ક્ષેત્રે આજે એક એવો સૂર્યોદૃય થયો છે જેની પ્રતિક્ષા દૃેશ છેલ્લા સાત દૃાયકાથી કરી રહૃાો હતો. તમિલનાડુના કલપક્કમ ખાતે આવેલા ’પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ (ઁહ્લમ્ઇ) એ ક્રિટિકાલિટી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દૃીધો છે. આ સિદ્ધિ સાથે ભારત હવે રશિયા પછી વિશ્ર્વનો બીજો એવો દૃેશ બની ગયો છે જેણે ઓટોમોડમાં ન્યુક્લિયર ચેન રિએક્શન શરૂ કરવામાં સફળતા મેળવી હોય. આ માત્ર એક ટેકનિકલ સફળતા નથી, પરંતુ પરમાણુ વિજ્ઞાનના પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભાએ ૧૯૫૦ના દૃાયકામાં જોયેલા આત્મનિર્ભર ભારતના સપનાનું સાકાર થવું છે.
કલપક્કમમાં સ્થિત ૫૦૦ મેગાવોટના આ રિએક્ટરે ક્રિટિકાલિટી હાંસલ કરી છે. સરળ ભાષામાં કહીએ તો, હવે આ રિએક્ટરમાં પરમાણુ શૃંખલા પ્રતિક્રિયા આપમેળે અને નિયંત્રિત રીતે શરૂ થઈ ગઈ છે. આ એક એવી જટિલ પ્રક્રિયા છે. જેમાં રિએક્ટર હવે ઉર્જા પેદૃા કરવાની સાથે સાથે પોતાના ઉપયોગ માટે જરૂરી ઈંધણ કરતાં વધુ ઈંધણ બ્રીડ એટલે કે પેદૃા પણ કરશે. આ જ કારણે તેને ફાસ્ટ બ્રીડર રિએક્ટર કહેવામાં આવે છે.ભારતના પરમાણુ કાર્યક્રમનો પાયો ૧૯૫૪માં નંખાયો હતો. તે સમયે ડૉ. હોમી જહાંગીર ભાભાએ ભારતની ભૌગોલિક સ્થિતિને સમજીને એક વિશિષ્ટ થ્રી-સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ તૈયાર કર્યો હતો.
ભારત પાસે યુરેનિયમનો ભંડાર મર્યાદિૃત છે, પરંતુ વિશ્ર્વનો સૌથી મોટો થોરિયમનો ભંડાર (લગભગ ૨૫%) ભારત પાસે છે. ભાભા જાણતા હતા કે, જો ભારતને ઉર્જા ક્ષેત્રે મહાસત્તા બનવું હોય, તો આપણે થોરિયમનો ઉપયોગ શીખવો જ પડશે. આ માટે તેમણે ત્રણ તબક્કાની યોજના બનાવી હતી.
