નવી દિલ્હી: તંબાકુના શોખીનો-બંધાણીઓ માટે હવે ‘બજેટ’ નવેસરથી બનાવવાનો સમય આવી ગયો છે. સરકારે જીએસટીમાં કરેલા ફેરફાર બાદ જે રીતે 28%નો સ્લેબ નાબુદ કર્યો છે અને લકઝરી, સીન-પ્રોડકટસમાં ઉંચો દર જાળવી રાખવા માટે કવાયત કરી છે તેના ભાગ રૂપે તા.1 ફેબ્રુથી તંબાકુ અને તેના તમામ ઉત્પાદનો વધુ મોંઘા થશે. તંબાકુ, સિગારેટ, પાનમસાલા, ખૈની તથા જયાં જયાં તંબાકુ આવતી હોય તેના પર 40% જીએસટી આવશે. જો કે બીડીને 18%ના સ્લેબમાં રાખવામાં આવી છે જેથી તે વધુ મોંઘી થશે નહી. આ અંગેનું એક જાહેરનામું બહાર પડી ગયુ છે. 40%ના ટેક્ષ ઉપરાંત તેના પર નેશનલ સિકયોરિટી સેસ પાનમસાલા પર લાગશે. જયારે તંબાકુ અને તેના અન્ય ઉત્પાદનોમાં વધારાની એકસાઈઝ ડયુટી લાદવામાં આવી છે. આ અંગે સંસદે ડિસેમ્બર માસમાંજ ખાસ ખરડાને મંજુરી આપી હતી અને જાહેરનામા મુજબ તા.1 ફેબ્રુઆરીથી તે સમયમાં આવશે. તા.1થી જે કમ્પનસેશન સેસ છે તેનો અંત આવશે.
રિલેટેડ ન્યૂઝ
-
કિયા ઇન્ડિયાએ રજૂ કરી ‘ઓલ-ન્યૂ સેલ્ટોસ’; રૂા.10.99 લાખની શરૂઆતની કિંમતે મિડ-એસયુવી સેગમેન્ટમાં નવા માપદંડ સ્થાપ્યા
કિયા ઇન્ડિયાએ આજે ‘ઓલ-ન્યૂ કિયા સેલ્ટોસ’ની કિંમતોની સત્તાવાર જાહેરાત કરી છે. ₹10.99* લાખ (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે... -
નાણાકીય સાક્ષરતા, રોકાણકારોની જાગૃતિ અને સમજદારીભર્યા અને સલામત રોકાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે ગજઊએ રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)એ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ (IAP)નું આયોજન કર્યું હતું,... -
સોનાના વાયદામાં રૂ.1015 અને ચાંદીના વાયદામાં રૂ.8099નો ઉછાળો: ક્રૂડ તેલનો વાયદો રૂ.29 લપસ્યો
ઇલેક્ટ્રિસિટી વાયદામાં નરમાઇ: એલચી, મેન્થા તેલના વાયદામાં સુધારો: કોમોડિટી વાયદાઓમાં રૂ.30562.09 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66180.89...
