ખોડલધામ ટ્રસ્ટ વતી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા પીએમ મોદીનું વિશિષ્ટ સન્માન

વડોદરા ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ‘સરદારધામ-3’ ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ વતી રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિશિષ્ટ સન્માન કર્યું હતું. દેશના સર્વાંગી વિકાસ, યુવા શક્તિના સશક્તિકરણ અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક ગૌરવમાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં આપેલા ‘વોકલ ફોર લોકલ’ અને ‘વેડિંગ ઇન ઇન્ડિયા’ જેવા સંદેશોને આવકારતા રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનો, ભારતીય સંસ્કૃતિ અને દેશની આર્થિક શક્તિને પ્રોત્સાહન આપવું આજની સમયની માંગ છે. પ્રસંગે જાહેર કરાયેલી રૂ. 500 કરોડની ‘સરદારધામ શિક્ષણ સહાય યોજના’ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ