એમેઝોનએ આજે પોતાના ભારતના કાઉન્ટરફેઇટ ક્રાઇમ્સ યુનિટના વિસ્તરણની ઘોષણા કરી છે જે બનાવટી માલથી તેના ગ્રાહકો અને બ્રાન્ડઝને રક્ષવાની તેની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે. આ યુનિટમાં એમેઝોનના સ્થાનિક નિષ્ણાતોને સમાવવામાં આવશે, જે બનાવટી ગતિવિધિઓને નાથવા અને ભારતના ઝડપથી વિકસી રહેલા ઇ-કોમર્સ ક્ષેત્રમાં રહેલા ગ્રાહકોના વિશ્વાસનું રક્ષણ કરવા માટે ભારતીય બ્રાન્ડઝ, વિક્રેતાઓ અને કાયદો લાગુ પાડતી એજન્સીઓ સાથે સાથે ઘનિષ્ઠતાથી કામ કરશે.
“અમારા સ્ટોરમાં વિશ્વાસ જાળવી રાખવા અને વિક્રેતાઓને સુરક્ષિત રાખવા માટે ગ્રાહકો અને બ્રાન્ડ્સને બનાવટી (નકલી) માલથી બચાવવા એ મૂળ હેતુ છે, એમ એમેઝોનના કાઉન્ટરફેઇટ ક્રાઇમ્સ યુનિટના ડિરેક્ટર કેભારુ સ્મિથએ જણાવ્યું હતુ. “અમારા વૈશ્વિક બનાવટી માલ વિરોધી પ્રયાસોએ લાખો ડોલરના સંભવિત નુકસાનને રોકવામાં મદદ કરી છે. ભારતમાં ઈઈઞના વિસ્તરણ સાથે, અમે ફળફુજ્ઞક્ષ.શક્ષ પર ગ્રાહકો, બ્રાન્ડ્સ અને વિક્રેતાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે તે જ પ્રતિબદ્ધતા અને કુશળતા લાવી રહ્યા છીએ. અમે ભારતમાં જમીન પર ખરાબ કરનારાઓ સામે લડવા માટે અદ્યતન ટેકનોલોજી, સમર્પિત ટીમો અને બ્રાન્ડ્સ અને કાયદા અમલીકરણ સાથે મજબૂત ભાગીદારીનું સંયોજન કરી રહ્યા છીએ. જે ગ્રાહકો, વિક્રેતાઓ અને બ્રાન્ડ્સ માટે સુરક્ષિત બજારસ્થળ બનાવવામાં મદદ કરે છે.
