ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી અને એનર્જી સોલ્યુશન્સ કંપની અખિયય ઇન્ફોટેક લિમિટેડએ જાહેરાત કરી હતી કે, કંપનીને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (જઊઇઈં) પાસેથી ઇનિશિયલ પબ્લિક ઓપનિંગ (ઈંઙઘ) માટે મંજૂરી મળી ગઈ છે. હવે કંપનીએ ઇશ્યૂમાંથી રૂા.300 કરોડનું ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી છે.
આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ ખંડવાલા સીક્યોરિટીઝ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે તથા રજિસ્ટ્રાર કેમીયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ છે.
જ્યારે અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી અખિયય ઇન્ફોટેક લિમિટેડ ઈંઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ, ઈંઈઝ લેબ ડિપ્લોયમેન્ટ અને મેનેજ્ડ સર્વિસીસ એમ તમામમાં સંપૂર્ણ ક્ષમતા પ્રદાન કરે છે, ત્યારે ઈંઝ અને ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટે રિટેલ અનુભવ ઝોનમાં નોંધપાત્ર હાજરી પણ ઊભી કરી રહી છે. આની સાથે સાથે અખિયય પોતાના રિન્યૂએબલ એનર્જી વર્ટિકલને ધીમે ધીમે મજબૂત કરી રહી છે, જેમાં સોલર ઊઙઈ અને ઙઙઅત (વીજ ખરીદી સમજૂતીઓ) અંતર્ગત લાંબા ગાળે વીજળીના ઉત્પાદનમાં કેન્દ્રિત વિસ્તરણ સામેલ છે. આ રીતે તે ભારતમાં ઊર્જા પરિવર્તનમાં અર્થપૂર્ણ રીતે સામેલ થવા પોતાને સજ્જ કરી રહી છે.
કંપની એપ્રિલ, 2026 સુધીમાં રૂા.2,500 કરોડની કુલ આઉટસ્ટેન્ડિંગ ઑર્ડર બુક ધરાવે છે. તેમાં કંપનીના સોલર એનર્જી વર્ટિકલમાંથી રૂા.1,900 કરોડ તથા ઈંઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈંઝ મેનેજ્ડ સર્વિસીસમાંથી રૂા.600 કરોડના ઑર્ડર સામેલ છે, જે ઊંચી વૃદ્ધિ ધરાવતાં તમામ ક્ષેત્રોમાં કંપનીની વિવિધતાસભર વ્યાવસાયિક હાજરી દર્શાવે છે.
