જાફરાબાદના ખારવા સમાજની દીકરીઓની ધો.12 સાયન્સમાં ઝળહળતી સિધ્ધિ

જાફરાબાદ શહેરમાં આવેલ ખારવા સમાજ માછીમારીના ધંધા સાથે સંકળાયેલ વર્ષોથી છે પરંતુ હવે તેમના યુવા પેઢીના બાળકો અભ્યાસ અર્થે ચમકવા લાગ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે પણ કારકિર્દી આગળ વધારવા પ્રયત્નો શીલ બની અભ્યાસ સાથે નામનાઓ કમાવવા લાગ્યા છે. તેમના ભાગરૂપે જાફરાબાદ ખારવા સમાજના અગ્રણી આગેવાન સ્વર્ગવાસી રામજીભાઈ કલ્યાણભાઈ સોલંકીની પૌત્રીઓ અને જાફરાબાદ વિસ્તારના જાણીતા એડવોકેટ બાલકૃષ્ણ સોલંકીની ભત્રીજીઓ ે વૈભવીબેન ધીરુભાઈ સોલંકી ધોળકિયા ગોંડલ બ્રાંચમાં ધોરણ 12 સાયન્સમાં 97.78% પર્સેન્ટાઇલ અને 88.97 પર્સન્ટેજ તેમજ ગુજકેટમાં 120 માંથી 101.25 માર્કસ તેમજ નમ્રતાબેન પરેશકુમાર સોલંકી એ 64.33% પર્સેન્ટાઇલ તેમજ 67.428 પર્સન સ્ટેજ અને ગુજકેટમાં 43.25 માર્ક લાવી અને ખારવા સમાજનું તેમજ સોલંકી પરિવારનું ગૌરવ વધારેલ છે.

રિલેટેડ ન્યૂઝ