ગુજરાતની ગાંધીનગર યુનિવર્સિટી ખાતે ભારતીય જ્ઞાન પરંપરા પર એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં સમગ્ર ભારતમાંથી આશરે 300 પ્રોફેસરો, અને યુવા સંશોધકોએ ભાગ લીધો હતો. શરૂઆતમાં, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર કમલેશજી એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં ભારતીય જ્ઞાન પરંપરાનું મહત્વ સમજાવ્યું, જેનો ઉદ્દેશ્ય પ્રાચીન જ્ઞાનને આધુનિક શિક્ષણ પ્રણાલીમાં એકીકૃત કરવાનો છે. બાદમાં, પ્રોફેસર વિદ્યુત જોશીએ ગાંધીજી, આંબેડકર, દીનદયાલ ઉપાધ્યાય અને રોયના તત્વજ્ઞાનનું વિસ્તૃત વર્ણન કર્યું હતું.આ પરિસંવાદના મુખ્ય વક્તા, ભારતના પ્રખ્યાત શિક્ષણવિદ પ્રોફેસર રમેશ મકવાણાએ જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાનનો ઇતિહાસ અત્યંત સમૃદ્ધ રહ્યો છે અને ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ પરિમાણો અને આજના સમયમાં તેની સુસંગતતા વિશે વિસ્તૃત વાત કરી હતી. વેદ અને ઉપનિષદ ભારતીય જ્ઞાનનો પાયો છે. આ ગ્રંથોમાં ધર્મ, ફિલસૂફી, વિજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર સહિત વિવિધ વિષયોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આયુર્વેદ એક પ્રાચીન ભારતીય તબીબી પ્રણાલી છે જે રોગોના નિદાન અને સારવાર માટે કુદરતી પદાર્થોનો ઉપયોગ કરે છે.શિક્ષણવિદ પ્રોફેસર રમેશ મકવાણાએ ભારતીય જ્ઞાન પરંપરાનો વિશ્વ પર પ્રભાવ પર પ્રકાશ પાડયો હતો. ભારતીય જ્ઞાનનો વિશ્વના વિવિધ ભાગોમાં વ્યાપક પ્રભાવ પડ્યો છે. ઉદાહરણ તરીકે, આધુનિક યુગમાં યોગ કસરત અને તણાવમાં રાહત આપનાર તકનીકના સ્વરૂપે વિશ્વભરમાં લોકપ્રિય છે. આધુનિક દવામાં પણ આયુર્વેદના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. ભારતીય ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ આધુનિક ગણિતમાં થાય છે. ભારતીય તત્વજ્ઞાનના સિદ્ધાંતોએ આધુનિક વૈશ્વિક તત્વજ્ઞાનને પણ પ્રભાવિત કરેલ છે. અંતમાં, શિક્ષણવિદ પ્રોફેસર રમેશ મકવાણાએ જણાવ્યું કે ભારતીય જ્ઞાન પરંપરા વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત આધાર છે. અંતે, પરિસંવાદના સંયોજક, ડો. રાજેશ લકુમે આભારવિધિ પ્રગટ કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
મેંદરડા આઈ. ટી. આઈમાં ટેકનોફેસ્ટ કાર્યક્રમ યોજાયો
28 જેટલા તાલીમાર્થીઓ દ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા મેંદરડા આઈ. ટી . આઈ માં 27 જાન્યુઆરી... -
પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયેલા જૂનાગઢના કલાકાર ’હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કાઢવા અરજી થતા વિવાદ
હું જૂનાગઢના વોર્ડ નં. 8 માં 60 વર્ષથી રહું છું, બે દિવસ અગાઉ મારી પદ્મશ્રી તરીકે... -
ઉનાના સનખડામાં સ્ટ્રીટ લાઈટો બંધ વન્યપ્રાણીઓના ભય વચ્ચે ગ્રામજનોને હાલાકી; પંચાયત સામે રોષ
ઉના તાલુકાના સનખડા ગામમાં છેલ્લા કેટલાક સમય થી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે,...
