ધ્રોલ પાસે હરીપર ગામ ખાતે શ્રી ગોરડીયા દાદા હનુમાનજી મંદિરના દિવસે ધાર્મિક મહોત્સવ પ્રસંગે આદરોલી માજી સૈનિક સંગઠન અને ગરડીયા હનુમાન મંદિર સેવા સમિતિ દ્વારા સંયુક્ત રીતે બે દિવસે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 2 અને 3 જાન્યુઆરીના રોજ સવારે 10:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાયેલ. આ રક્તદાન કેમ્પમાં અત્રેના ધાર્મિક પ્રસંગે આવતા ભાવિકો તરફથી 507 જેટલી બોટલનું રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવેલ રક્તદાનની કામગીરીમાં શ્રી એમ પી શાહ સાહેબ સરકારી મેડિકલ કોલેજ અને ત્રીજી ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગર તરફથી સહયોગ સાપડેલ. આ પ્રસંગે 57 જેટલી રક્તદાનની બોટલો એકત્ર કરવા બદલ હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી આયોજકોને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગમાંથી સૈનિક સંગઠનના પ્રમુખ ગીરીરાજસિંહ એ આ કેમ્પના રક્તદાન કરનાર જાતાઓ તથા સેવાભાવી યુવાનોનો આભાર વ્યક્ત કરેલ.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનાના સનખડા ગામનો યુવાન રાજેશ ગોહિલ ITBP ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફર્યા
ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરી રેલી યોજી ઉના તાલુકાના સનખડા ગામના રાજેશભાઈ નાનજી ભાઈ ગોહિલે... -
જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમનો ધ્રોલ પંથકમાં દરોડા
ખનીજ ચોરી અંગે એક જેસીબી અને પાંચ ટ્રેક્ટર પકડાયા જામનગરની ખાણ ખનીજ વિભાગની ટુકડીએ ધ્રોળ પંથકમાં... -
જામનગરમાં એકટીવા ચાલક મહિલાને કારે ઠોકરે ચડાવ્યા
સિક્કા ગામમાં પાર્ક કરેલી બસમાંથી 150 લીટર ડીઝલની ચોરી જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા દર્શનાબેન રવિન્દ્રભાઈ...
