આર.ટી.આઇ થતાં કોલેજનો ભાંડો ફૂટ્યો NCTE ની મંજુરી લીધાં વગર વિધાર્થીના ભાવી સાથે ચેડાં કરાતાં હોવાનું બહાર આવ્યું
ઉના પંથકના ભાચા ગામમાં ’વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ NCTE ની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.વાસ્તવમાં NCTE દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરી પત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો. આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિધાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.
છેલ્લા ઘણા સમયથી સોરઠપંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બદલાતા જ શંકાસ્પદ બીએડ કોલેજો સામે તપાસનો ગાળિયો કસાયો હતો, જેના કારણે અનેક કોલેજોની મંજૂરી પણ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉનાના ભાચા ગામની વી.બી. નાંડોળા બીએડ કોલેજ બોગસ હોવાના ગંભીરન આરોપો વચ્ચ ેઆરટીઆઇ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી. NCTE નો ચોંકાવનારો ખુલાસો તેની આરટીઆઈના જવાબના આધારે કોલેજ પાસે રહેલા મંજૂરીના પત્રો સાચા છે કે ખોટા, એનસીટીઈ(NCTE)માં ખરાઈ કરવામાં આવી હતી. અરજદારે માંગેલી માહિતીના આધારે એન સી ટી ઈ એ ચોંકાવનારો ખુલાસો કરતા સ્પષ્ટતા કરી છે કે, ’તારીખ 05-06-2023 અને તારીખ 25-07-2025ના રોજ અમે કોઈ પત્ર લખ્યો નથી કે આવી કોઈ મંજૂરી પણ આપેલી નથી.’ આ ઘટસ્ફોટ બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે,જેવિધાર્થીઓ અહીંઅભ્યાસ કરી ચૂક્યા છે અને જેમને ડિગ્રી એનાયત થઈ ગઈ છે, તેમનું ભવિષ્ય હવે શું?
માન્યતા વગર જ ધમધમતો અભ્યાસ વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અનેક વિધાર્થીઓએ ઉના ની વી.બી. નાંડોળા બીએડ કોલેજમાં અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે,આ કોલેજપાસે ગઈઝઊની કોઈ માન્યતા જ નહોતી, તેમ છતાં ગત વર્ષે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ કોલેજની પરીક્ષા
ગઈઝઊની કોઈ માન્યતા જ નહોતી, તેમ છતાં ગત વર્ષે ભક્ત કવિ નરસિંહ મહેતાયુનિવર્સિટી દ્વારા આ કોલેજ ની પરીક્ષા લેવામાં આવી હતી. એટલું જ નહીં, આ પરીક્ષાના પરિણામના આધારે પ્રથમ વર્ષના વિધાર્થી ઓને ડિગ્રી પણ એનાયત કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે જ્યારે કોલેજ બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને વિધાર્થીઓના ભાવિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
અધિકારીઓના નામે નકલી પત્રોતૈયારકરાયાગઈઝઊના લેટરપેડનો દુરુપયોગ કરીને તારીખ 05-06-2023ના રોજ ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગરને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં વર્ષ 2023-24 માટે વી.બી. નાંડોળા બીએડ કોલેજને 100 વિધાર્થી ઓની મંજૂરી મળી હોવાનું દર્શાવી, તેમાં ગઈઝઊના ક્ષેત્રીય નિર્દેશક ડો. મિતુ ભારતીની બોગસ સહી કરવા માં આવી હતી.ત્યારબાદ, વધુ એક કૌભાંડ આચરતા ગઈઝઊના જ લેટરપેડ પર તારીખ 25-07-2025ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ને સંબોધી ને બીજો પત્રમાં વર્ષ 2023-24ની મંજૂરીનો ઉલ્લેખ કરી, વર્ષ 2025-26માં જો વધુ વિધાર્થીઓ ફાળવવા માં આવશે તો કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ પત્રમાં રિજનલ ડાયરેક્ટર મુકેશકુમાર ની નકલી સહીનો ઉપયોગ કરીને યુનિવર્સિટીને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.
પત્રની ખરાઈ કરવા યુનિ.એ પત્ર લખ્યો પણ ત્યાં ન પહોંચ્યો
જ્યારે આ સમગ્ર વિવાદ ચાલતો હતો, ત્યારે તેને શાંત પાડવા માટે યુનિવર્સિટીના તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મયંક સોની દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, 05-06-2023નો મંજૂરી પત્ર સાચો છે કે ખોટો તેની ખરાઈ કરવા માટે 06-02-2024ના રોજ ગઈઝઊને પત્ર લખવામાં આવ્યો છે.જોકે, આ મામલે પણ ચોંકાવનારો વળાંક આવ્યો છે. છઝઈં અંતર્ગત જ્યારે ગઈઝઊ પાસે પુછપરચ્છ કરવામાં આવી કે શં
તેમને નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આવો કોઈ પત્ર મળ્યો છે? તેના જવાબમાં ગઈઝઊએ સ્પષ્ટ જણાવ્યું કે, તેમને આવો કોઈ જ પત્ર મળ્યો નથી. આમ, યુનિવર્સિટી દ્વારા તપાસના નામે માત્ર સ્થાનિક કક્ષાએ ખોટી માહિતી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હોય તેવું જણાય છે.
