તીર્થયાત્રાએ જતા ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદૃીએ દૃુ:ખ વ્યક્ત કર્યું, આંધ્ર પ્રદૃેશમાં વહેલી સવારે ભીષણ અકસ્માત

આ દૃુર્ઘટનામાં અન્ય ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સહાયની જાહેરાત કરી

દૃક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદૃેશમાં ગુરુવારે વહેલી સવારે એક દૃયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુર્નૂલ જિલ્લાના ચિલકલાડોના પાસે એક બોલેરો ગાડી અને ટ્રક (લોરી) વચ્ચે થયેલી જોરદૃાર ટક્કરમાં ૮ લોકોના મોત થયા છે. મૃતકોમાં કર્ણાટકના ચિક્કામગલુરુ વિસ્તારના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૩ લોકોએ હોસ્પિટલમાં સારવાર દૃરમિયાન દૃમ તોડ્યો હતો. આ દૃુર્ઘટનામાં અન્ય ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એમ્મિગનૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દૃુર્ઘટના પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “આંધ્રપ્રદૃેશના કુર્નૂલ જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દૃુ:ખદૃ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદૃના વ્યક્ત કરું છું.
વડાપ્રધાને ઁસ્દ્ગઇહ્લ તરફથી પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.૨ લાખ અને ઘાયલોને રૂ.૫૦,૦૦૦ ની સહાય આપવાની જાહેરાત કરી છે. કુર્નૂલ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતા જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બોલેરો અને ટ્રક વચ્ચેની સીધી ટક્કર જવાબદૃાર હોવાનું મનાય છે.

રિલેટેડ ન્યૂઝ