રાણપુરમાં હનુમાનજી મંદિર-રામરોટીને હટાવવાનો નોટિસથી હિન્દુઓમાં રોષ

નોટિસ પાછી ખેંચવા હિન્દુ સમાજ દ્વારા આવેદન

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ મુખ્યકુમાર શાળા પાસે હનુમાનજી મંદિર અને રામરોટી વર્ષોથી ચાલી રહ્યું છે જે હનુમાનજી મંદિરને પી.ડબ્લ્યુ.ડી દ્વારા હટાવવાની નોટિસ આપવામાં આવતા આજરોજ સમસ્ત હિંન્દુ સમાજ દ્વારા પી.ડબ્લ્યુ.. ડી ની ઓફિસ ખાતે તેમજ રાણપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમસ્ત હિંન્દુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં એકઠા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તાત્કાલિક આ દબાણ અટવવાની નોટીસ પાછી ખેંચવાની માંગ સાથે સમસ્ત હિંદુ સમાજ દ્વારા રાણપુર ખાતે તેમજ રાણપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. તંત્ર દ્વારા જો આ નોટિસ હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્ત હિંન્દુ સમાજ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્ર આપતા સમયે સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા..

રિલેટેડ ન્યૂઝ