પસવારી ગામે ભાદર નદીના પુરમાં તણાઇ જતા પશુપાલકનું નિપજ્યુ મોત

ભેંસ લેવા માટે વાડીએ ગયો ત્યારે બન્યો બનાવ

પસવારી ગામે ભાદર નદીના પુરમાં તણાઇ જતા પશુપાલકનું મોત નિપજ્યુ છે.પોરબંદરના પસવારી ગામે રહેતા નગાભાઇ કરંગીયાએ કુતિયાણા પોલીસમાં એવુ જાહેર કર્યુ છે કે હાજાભાઇ રણમલભાઇ કરંગીયા, ઉ.વ. 44, પસવારી ગામે તેની વાડીએ ભેસો લેવા માટે ગયો હતો તે દરમ્યાન ભાદર નદીમાં પુર આવતા હાજાભાઇ તણાઇ ગયા હતા અને પાણીમાં ડૂબતા તેનું મોત થયુ છે.

રિલેટેડ ન્યૂઝ