ખંભાળિયાના મીની તરણેતર જેવા શિરેશ્ર્વર લોકમેળાનો આજથી થશે ભવ્ય પ્રારંભ

મનોરંજનના સાધનો, ખાણીપીણી વિગેરે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં શુક્રવાર તા. 6 થી તા. 9 સુધી ચાર દિવસ “રખ પાંચમ”ના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મીની તરણેતર જેવી જ્ઞાતિ પામેલા શિરેશ્વરના આ લોકમેળામાં સમગ્ર ગુજરાતભરમાંથી આવતા વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો, ફજેત ફાળકા ઉપરાંત ખાણીપીણી અને રમકડાના સ્ટોલ ફક્ત ખંભાળિયા શહેર કે તાલુકા જ નહીં પરંતુ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.ત્યારે આ લોકમેળાના સુચારું આયોજન માટે ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા, તલાટી કમ મંત્રી પી.ડી. વીંઝોડા તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાથે સાથે આ લોકમેળાનો મન ભરીને માણવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ચાર દિવસના આ લોકો મેળામાં આશરે દોઢ-બે લાખ સુધીની જન્મદિનની મેળાની મોજ માણવા ઉમટી પડવાની સંભાવના છે ત્યારે લોકમેળામાં નિયમોની અમલવારી તેમજ એસ.ઓ.પી.ના પાલન માટે જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ