નવી દિૃલ્હી, તા.૨૨
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહૃાું કે ન્યાયપાલિકાને ભાષાકીય સ્તર પર કામ કરવાની જરૂર છે. તેમને કહૃાું કે જે લોકો માટે તે કામ કરી રહૃાા છે, તે લોકો સુધી પહોંચવા માટે તેમને તેમની જ ભાષામાં જાણકારી આપવી પડશે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહૃાું કે જ્યાં સુધી આપણે લોકોની ભાષામાં તેમનો સંપર્ક નહીં કરીએ તો મોટાભાગના લોકો તેનાથી બચી જશે. આ સ્ટેટમેન્ટનો વીડિયો શેયર કરતા વડાપ્રધાન મોદૃીએ પણ કહૃાું છે કે આવું થયું તો ઘણા લોકોને મદૃદૃ મળશે. ઝ્રત્નૈં ડીવાય ચંદ્રચૂડે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહૃાું કે અમારો આગામી ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટની કોપીઓને દૃરેક ભારતીય ભાષામાં તેમના સુધી પહોંચાડવાનો છે.
આ દૃરમિયાન, માહિતી લોકો સુધી ન પહોંચવા અને ભાષાના અવરોધ અંગે િંચતા વ્યક્ત કરતાં તેમણે કહૃાું કે જ્યાં સુધી આપણે નાગરિકો સાથે તેમની ભાષામાં વાત નહીં કરીએ, ત્યાં સુધી અમે જે કરી રહૃાા છીએ તે ૯૯ ટકા લોકો સુધી પહોંચશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઝ્રત્નૈંના આ વીડિયોને શેયર કરતા લખ્યું છે કે આ ખુબ જ પ્રશંસનીય વિચાર છે. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું ‘તાજેત્તરમાં જ એક કાર્યક્રમમાં માનનીય ઝ્રત્નૈં જસ્ટિસ ચંદ્રચૂડે કહૃાું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સને સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમને તેના માટે ટેક્લોનોજીના ઉપયોગની વાત કરી છે. આ ખુબ જ પ્રશંસનીય વિચાર છે, તેનાથી ઘણા લોકોને મદૃદૃ મળશે, ખાસ કરીને યુવાનોને ઘણી મદૃદૃ મળશે.
વડાપ્રધાન મોદૃીએ આ સંબંધિત બીજુ ટ્વીટ કર્યુ છે. તેમને બીજા ટ્વીટમાં લખ્યું કે ‘ભારતમાં એવી ઘણી ભાષાઓ છે જે આપણી સાંસ્કૃતિક જીવંતતામાં વધારો કરે છે. કેન્દ્ર સરાકર પણ દૃેશમાં સ્થાનિક ભાષાઓને વ્યાપ વધારવા માટે ઘણા મહત્વના પગલાં લઈ રહી છે. ક્ષેત્રીય ભાષાઓમાં વિદ્યાર્થીઓને વિષય પણ ઉપલબ્ધ કરાવવાની કવાયત ચાલી રહી છે. જેમાં એન્જિનિયિંરગ અને મેડિસિન જેવા વિષય સામેલ છે, જે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહૃાા છે.