આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદૃેશી રીતે તૈયાર શસ્ત્રોના નિર્માણમાં સાવચેતીના જરૂરી પગલાં લેવામાં આવી રહૃાા છે
નવી દિૃલ્હી, તા.૧૭
ંસંરક્ષણ મંત્રાલયે વિવિધ હથિયાર ખરીદૃવા માટે રૂ. ૭૦ હજાર કરોડથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદૃોની સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો પર પણ વિશેષ ધ્યાન આપી રહૃાું છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે ટ્વિટ કરી જાણકારી આપી હતી.
ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને અનુરૂપ સૈનિકો માટે સ્વદૃેશી વિકાસ અને ડિઝાઇન પર ઝડપથી કામ કરવામાં આવી રહૃાું છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે ૭૦ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદૃોની વધારે સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો અનુસાર હથિયાર પ્રણાલી વિકસાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહૃાું છે. આ માટે આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદૃેશી રીતે તૈયાર કરાયેલા શસ્ત્રોના નિર્માણમાં સાવચેતીના જરૂરી પગલાં લેવામાં આવી રહૃાા છે.
દૃેશની સુરક્ષા માટે હવે હથિયારોની ટેક્નોલોજીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહૃાું છે. આગામી દિૃવસોમાં ભારતીય સેના સંરક્ષણ ક્ષેત્રને માનવરહિત ટેકનોલોજી આપવા અને સુરક્ષાને વધુ ખાસ બનાવવા માટે એઆઈના ઉપયોગ માટે ડીઆરડીઓસહિત અનેક સ્ટાર્ટઅપ્સ સાથે મળીને કામ કરી રહી છે. દૃેશની સુરક્ષામાં પણ આત્મનિર્ભરતાના વિઝન પર પણ ઝડપથી કામ થઈ રહૃાું છે. જેના પરિણામે સેનામાં માત્ર સ્વદૃેશી ટેક્નોલોજી અપનાવવામાં આવી રહીનથી પરંતુ સંરક્ષણ નિકાસમાં પણ તેજી જોવા મળી રહી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદૃનમાં ઝડપી પ્રગતિ કરી છે. સંરક્ષણ સ્વ-નિર્ભરતા તરફ ઝડપથી આગળ વધીને, ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લા ૯ વર્ષોમાં ૧૧ ગણાથી વધુ વધી છે.