ગઢડા(સ્વામીના) તાલુકાના પૂર્વ ગઢાળી ગામે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી નૂતન રામજી મંદિર ખાતે નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના ધાર્મિક, સાંસ્કૃતિક અને લોક ડાયરા સહિતના કાર્યક્રમો ચાર દિવસ સુધી ભારે ધામધુમથી યોજાશે. આ માટે 19 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી સુધી સમસ્ત ગામજનો ના સહકાર અને લોકફાળાથી નિર્માણ થયેલ ભવ્ય રામજી મંદિરમાં નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તેમજ દીકરીઓના સામૈયા, 21 કુંડી યજ્ઞમાં 81 યજમાનો દ્વારા યજ્ઞ આહુતિન વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠશે. આ પ્રસંગે અનેક સાધુ સંતો પણ ખાસ હાજર રહેશે. સાથે સાથે ધર્મસભા, સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરો, રાસોત્સવ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત તમામ દીકરીઓનો સન્માન સમારંભ યોજાશે. આ માટે અગાઉથીજ સુશોભિત રંગોળી તેમજ રોશનીના ઝળહળાટ થી દિવાળી પર્વ જેવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ગામની એકતા અને સમરસતાથી ત્રિ દિવસીય મહોત્સવ દીપી ઉઠશે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે રામજી મંદિર નવનિર્માણ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાણપુરમાં યોજાયેલ હિન્દુ સંમેલનમાં ધર્મ, સંસ્કૃતિ અને એકતા પર કરાઈ ચર્ચા
હિંન્દુ સંમેલન સમિતી દ્વારા સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરાયુ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે હિન્દુ સંમેલન સમિતિ રાણપુર... -
ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે રૂ.1.08 કરોડનો ચેક અર્પણ કરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ... -
પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો
મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ 2 હજારથી વધુ સાધુ સંતોનું પ્રતિવર્ષ થાય છે આગમન મહાશિવરાત્રિનો મેળો...
