31 ડિસે. 2025ના નિવૃત થનારને આઠમા પગારપંચનો લાભ અંગે સરકારનું મૌન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ નિયુક્ત કરાયુ છે. જે આગામી 18 માસમાં તેનો રિપોર્ટ આપશે. જો કે પગારપંચ તા.1 જાન્યુ. 2026થી લાગુ થનાર છે. તેથી 31 ડિસેમ્બર 2025ની કે તે પુર્વે નિવૃત થયેલા કર્મચારીઓને આ નવા વેતન પંચનો લાભ મળે કે કેમ તેવા પ્રશ્ર્નના જવાબમાં સરકારે જાહેર કર્યુ કે ફાયનાન્સ એકટ 2025 પાર્ટ-4 હાલના પેન્શન નિયમોને માન્યતા આપે છે પણ તેને બદલતો નથી તેની પગારપંચ જે ભલામણો કરે છે તેના પર સરકાર જે તે સમયે નિયમ મુજબ નિર્ણય લેતી હોય છે. આમ સરકારે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.

રિલેટેડ ન્યૂઝ