અમેરિકામાં 40% ભારતીય નિકાસ પર કોઈ ટેરીફ નથી

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર સમજુતીમાં ખાસ કરીને કૃષી, ડેરી ક્ષેત્રની આયાત મુદે કોઈ સમાધાન થયુ નથી અને થશે નહી તેવું મોદી સરકાર સ્પષ્ટપણે જણાવે છે અને અમેરિકાના 18% ટેરીફ એ રેસીપ્રોકસ ટેરીફ છે એટલે ભારતના ટેરીફ એ 18% હોય તો જ અમેરિકા 18% ટેરિફ લાદશે પણ આ હાલના કરાર પહેલા પણ ભારતના 40% જેટલા ઉત્પાદનો અમેરિકામાં શુન્ય ટેરીફથી નિકાસ થતા હતા. ભારતના ઈલેકટ્રોનીકસ-ફાર્મા પ્રોડકટસ જેમાં બલ્ક દવાઓનો સમાવેશ થાય છે એ સહિત ભારતથી જે સૌથી વધુ ત્રણ નિકાસ અમેરિકામાં થાય છે તેના પર કોઈ ટેરીફ લાગતા નથી. ઈલેકટ્રોનીકસ નિકાસ 16.7 બિલિયન છે બાદમાં ફાર્મા 6.18 બીલીયન ડોલર અને પેટ્રો પેદાશ 2-7 બીલીયન ડોલરની થઈ છે. ચા, કોફી અને મસાલાની 2.54 બીલીયન ડોલરની નિકાસ થઈ છે.

રિલેટેડ ન્યૂઝ