સીંધુ ભવન સહિતના પોશ વિસ્તારોમાં થતા બાંધકામની ડિઝાઇનમાં ફેરફાર કરાયા
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ભૂકંપના આચંકા શરૂ થયા છે. કચ્છ-ભુજમાં સતત આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન ભારત સરકારના બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સએ તાજેતરમાં દેશભરના રાજ્યોના ભૂકંપીય ઝોનિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે, જેના કારણે અમદાવાદ શહેરને ઉચ્ચ ભૂકંપ જોખમ શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. અમદાવાદ પર તોળાઈ રહેલા મોટા ભૂકંપના ખતરાના કારણે શહેરના સૌથી પોશ એરિયા ગણાતા સિંધુ ભવનમાં બનનારા સિટી સ્કેવર ટાવરની ઊંચાઈમાં 5 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મળતી વિગત પ્રમાણે, અમદાવાદ શહેરનો ભૂકંપીય ઝોન 3 માંથી ઝોન 4 માં અપગ્રેડ કરવામાં આવ્યો છે. આ ફેરફાર મે 2026 પછી મંજૂર થનારી તમામ નવી ઇમારતોની માળખાકીય ડિઝાઇનને અસર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા વર્ગીકરણો 3 મે, 2026 થી અમલમાં આવશે. સ્ટ્રક્ચરલ એન્જિનિયરોને હવે ઇમારતોને વધુ મજબૂત ધરતીકંપના દળોનો સામનો કરવા માટે ડિઝાઇન કરવી પડશે, જેનાથી બાંધકામ સામગ્રીનો ઉપયોગ વધશે. આનાથી અમદાવાદમાં નવી મિલકતોના ભાવોમાં 20 થી 25 ટકા જેટલો વધારો થઈ શકે છે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ અમદાવાદને ભૂકંપ સંવેદનશીલ શહેર તરીકે ગણાવ્યું હતું. વર્ષ 2001 માં આવેલા વિનાશક ભૂકંપમાં શહેરમાં 900થી વધુ લોકોના જીવ ગયા હતા અને અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, ઇઈંજ દ્વારા ભૂકંપીય ઝોન જાહેર કરાયા મુજબ અખઈ નવી ઇમારતો માટે બાંધકામ યોજનાઓને મંજૂરી આપે છે. હાલમાં, ડિઝાઇન ઝોન 3 પર આધારિત છે. જોકે, ઇઈંજ એ નવેમ્બર 2025માં ભૂકંપીય ઝોન સુધાર્યા પછી અમદાવાદને ઝોન 4 માં મૂકવામાં આવ્યું છે. આનાથી નવી ઇમારતોની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં સીધી અસર થશે.
સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ હવે સિસ્મિક ઝોન 4 માં ખસેડાયું હોવાથી, આગામી તમામ પ્રોજેક્ટ્સની માળખાકીય ડિઝાઇન સુધારવી પડશે. વધુ રિઇન્ફોર્સમેન્ટ અને મજબૂત ઘટકો જરૂરી બનશે. સામગ્રીના વપરાશમાં વધારો થતાં, નવા બાંધકામ ખર્ચમાં 20 થી 25 ટકાનો વધારો થશે.
